Friday 2 May 2014

હેલ્થી... " પપૈયા

SIDHDHRAJSINH  GOHIL PADVA
હેલ્થ ટીપ્સ" ... "પપૈયા"

પપૈયા એક એવું ફ્રૂટ છે જે ટેસ્ટી હોવાની સાથે જ ગુણોથી ભરપૂર છે. પપૈયા નિયમિત સેવનથી શરીરને વિટામિન- એ અને વિટામિન-સીની એક નિશ્ચિત માત્રા પ્રાપ્ત થાય છે, જે આંધળાપણાથી બચવે છે. પીળા રંગના પપૈયાના મુકાબલે લાલ પપૈયામાં કૈરોટિનની માત્રા અપેક્ષાકૃત ઓછી હોય છે.
પપૈયાના અનેક ગુણો છે આપણા આરોગ્યનું સુરક્ષા કવચ તેના અનેક લાભમાંથી જાણી એ અહીં તેના 10 ઈલાજો...

1 આ ફળનું હેલ્થ કેરમાં મહત્વ પણ વધારે છે, આ સુપાચ્ય થાય છે. પેટમાં ગેસ બનવાથી રોકે છે.

2 કબજીયાતનું દુશ્મન અને સ્વાસ્થ્ય વર્ધક છે. પપૈયામાં મળતું પાઈપન નામનું એંન્જાઈમથી ભોજન પચવામાં મદદ મળે છે. એ જાડાપણાનું પણ દુશ્મન છે.

3 પેટના રોગોને દૂર કરવા માટે પપૈયાનું સેવન કરવું લાભ કારી હોય છે. પપૈયાના સેવનથી પાચનતંત્ર સારું થાય છે.

4 પપૈયાનો રસ અરૂચી, અનિદ્રા, માથાનું દર્દ, કબજીયાત તથા જાડા વગેરે રોગોમાં રાહત આપે છે.

5 પપૈયાનો રસનું સેવન કરવાથી ખાટા ઓડકાર બંધ થઈ જાય છે.

6 પપૈયું પેટના રોગ, હૃદય રોગ, આંતરડાની કમજોરી વગેરેને જૂર કરે છે. પાકેલા કે કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી પેટ માટે લાભકારી થાય છે.

7 પપૈયાના પાનના ઉપયોગથી હાઈ બી.પી.માં લાભ થાય છે અને હૃદયની ધડકન નિયમિત થાય છે. પપૈયામાં વિટામીન ડી, પ્રોટીન, કૈલ્શિયમ, લોહ તત્વ વગેરે બધા ભરપૂર માત્રામાં મળે છે.

8 પપૈયા પાગલપન દૂર કરનાર છે તથા વતા દોષોનો નાશ કરે છે. તેના સેવનથી ઘાવ ભરાઈ જાય છે અને મળત્યાગ તથા પેશામાં આવતી રુકાવટને દૂર કરે છે. કાચા પપૈયાને દૂધ ત્વચાના રોગ માટે વધારે લાભ કરે છે.

9 પાકેલા પપૈયા પાચન શક્તિમાં વધારો કરે છે, ભૂખને વધારે છે, ભૂખને વધારે છે, મૂત્રાશયના રોગનો નાશ કરે છે, પથરીને દૂર કરે છે, શરીરની વધારાની ચરબી પણ દૂર કરે છે. પપૈયા કફની સાથે આવનાર લોહીને રોકે છે તથા હરસને સારું કરે છે.

10 પપૈયા ત્વચાને ઠંડક પહુંચાડે છે. પપૈયાને કારણે આંખોની નીચે કાળા કુંડાળા દૂર થાય છે. કાચા પપૈયાના ગૂંદરને મધમાં મેળવીને ચહેરા પર લગાડવાથી ખીલનો અંત આવી જાય છે.

No comments:

Post a Comment